..
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા કથળેલી છે. ત્યારે હવે રાજ્યમાં આવેલી 32 હજારથી વધુ શાળાઓમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓનો દરરોજ રિપોર્ટ લેવાશે. રિપોર્ટના આધારે જે નબળી કામગીરી ધરાવતી શાળાના શિક્ષકો સામે પગલાં લેવાશે. દરરોજની કામગીરીના મોનિટરિંગ માટે સ્કૂલના બીઆરસીને સીઆરસી શિક્ષકોને ટેબલેટ આપવામાં આવશે.
રાજ્યમાં પ્રાથમિક શૈક્ષણિક પ્રવૃત્તિને સુધારવા સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યની દરેક શાળાના શિક્ષકો પાસે ટેબ્લેટ હશે. જેનાથી શિક્ષકે દરરોજની શૈક્ષણિક કામગીરીનો રિપોર્ટ આપવાનો રહેશે. રાજ્યમાં 32,750 સ્કૂલના બીઆરસીને સીઆઈસી શિક્ષકોને ટેબલેટ આપવામાં આવશે. ટેબલેટ સાથે ટ્રેકિંગ સિસ્ટમ જીપીઆરએસ પણ ફીટ કરવામાં આવશે. આ ટેબલેટ થકી શિક્ષકે દિવસ દરમિયાન બાળકોને શું શિક્ષણ આપે છે તેનું રિપોર્ટિંગ કરવાનું રહેશે.
આ રિપોર્ટિંગ બીઆરસી અને સીઆરસીએ કંટ્રોલ રૂમમાં કરવાનું રહેશે. દરરોજના ડેટાને આધારે રિપોર્ટ તૈયાર કરાશે. અને તે રિપોર્ટ આધારે જે સ્કૂલમાં નબળી શિક્ષણ કામગીરી હશે તે સ્કૂલના શિક્ષકો સામે પગલાં ભરવામાં આવશે. આ સાથે સ્કૂલના તમામ અભ્યાસક્રમ અને વિદ્યાર્થીઓના ગુણાંકનું પણ મોનિટરિંગ કરવામાં આવશે.
ગુજરાતની પ્રાથમિક શાળામાં બે લાખ શિક્ષકો ફરજ બજાવે છે. અત્યાર સુધી ઘણા શિક્ષકો સ્કૂલમાં હાજરીની ગેરરીતિ કરતા હતા. પરંતુ હવે કંટ્રોલ રૂમમાં દરરોજ શિક્ષકોની હાજરીનું પણ મોનીટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની હાજરીનું મોનીટરીંગ કરવામાં આવશે.. અને જે-તે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીની નોંધ લઈ તેનો પણ રિપોર્ટ તૈયાર કરાશે.
અત્યાર સુધી સ્કૂલમાંથી મોકલવામાં આવતા રિપોર્ટ આધારે મોનિટરીંગ થતું હતું. અને તેમાં ક્યાંક ખોટી માહિતી પણ કાગળ પર જતી હતી. પરંતુ હવે ટેબલેટ થકી દરરોજ મોનીટરીંગ થશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં 50થી વધુ તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.. આ ઉપરાંત કંટ્રોલ રૂમમાં સ્ટાફ દર 6 મહિને સ્ટાફ બદલાતો રહેશે. કોઈ શિક્ષક ફાજલ પડે તો તેની નિમણૂક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે.
રાવ સાહેબ બાય જી.એસ. ટી.વી. ન્યુઝ
0 Comments