Chandra Grahan 2022 વિશે માહીતિ

Chandra Grahan 2022 ની માહિતી


ચંદ્રગ્રહણનો સમય વિશે, Chandra Grahan 2022 Time in India):


આ વર્ષનું એટલે કે 2022 નું છેલ્લું ગ્રહણ કારતક પૂનમ, 8 નવેમ્બર 2022ના લાગશે. ચંદ્ર ગ્રહણની શરૂઆત સાંજે 5.35 કલાકથી શરૂ થશે અને ગ્રહણનો મદ્ય 6.19 કલાકે અને મોક્ષ સાંજે 7.26 કલાકે થશે. આ ગ્રહણનો સૂતક કાળ ગ્રહણથી 12 કલાક પહેલા સવારે 5.53 કલાકે શરૂ થશે અને આગામી દિવસે સવારે આશરે 7 કલાક સુધી ચાલશે. 


મંગળવારે સવારથી લાગશે સૂતક કાળ
ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા અને 12 કલાક બાદનો સમય સૂતક કાળ માનવામાં આવે છે. કારણ કે વર્ષ 2022 ના વર્ષ નું છેલ્લું ચંદ્રગ્રહણ મંગળવારે સાંજે 5 કલાક આસપાસ શરૂ થશે એટલે મંગળવારે સવારથી સૂતક કાળ શરૂ થઈ જશે. સૂતક કાળમાં કોઈપણ શુભ કાર્ય કરી શકાય નહીં. તો ગ્રહણ પહેલા મંદિરોમાં પટ બંધ થઈ જાય છે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ પૂજા સ્થળોને પવિત્ર કરવામાં આવે છે. 


ચંદ્ર ગ્રહણની રાશિઓ પર અસર


વિવિધ જ્યોતિષાચાર્યો અનુસાર ગ્રહણને કારણે આવનારા કેટલાક સમય સુધી 4 રાશિઓ માટે લાભ, 4 રાશિઓ માટે મુશ્કેલી અને 4 રાશિઓ માટે સામાન્ય રહેશે. જાણો તમામ રાશિઓ વિશે.

મેષ- આ રાશિ પર ગ્રહણની નકારાત્મક અસર રહી શકે છે.


વૃષભ રાશિ  : વૃષભ રાશિના જાતકોએ હાલ કોઈ નવુ કાર્ય શરૂ કરવાથી બચવું પડશે. 


મિથુન રાશિ: લાભનો યોગ બનશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.


કર્ક રાશિ : આર્થિક લાભ મળી શકે છે. આવકમાં વધારો થશે. 


સિંહ રાશિ : આ રાશિના જાતકો માટે ગ્રહણ મધ્યમ રહેશે. કોઈ વાતની ચિંતા ન કરો.


કન્યા રાશિ : આ રાશિના જાતકોએ આવનારા સમયમાં સંભાળીને ચાલવુ પડશે.


તુલા રાશિ :  આ રાશિ માટે ચંદ્રગ્રહણની ખાસ અસર જોવા મળશે નહીં.

વૃશ્ચિક- આવકમાં વૃદ્ધિનો યોગ બનશે. કાર્યમાં સફળતા મળશે. 
ધન- સ્થિતિ સામાન્ય રહેશે. આવક મધ્યમ રહી શકે છે.
કુંભ- દરેક રીતે આ રાશિના જાતકો માટે ગ્રહણ લાભકારી સિદ્ધ થશે.
મીન- મીન રાશિના જાતકો પર ગ્રહણનો વધુ પ્રભાવ પડશે નહીં.

ચંદ્રગ્રહણ ની સંપૂર્ણ માહિતી આપતી pdf ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

અહીંથી જુઓ ચંદ્રગ્રહણ લાઈવ


ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ?
વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારત સહિત દક્ષિણ/પૂર્વી યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. 


Disclaimer :  આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સત્ય અને સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. 

Post a Comment

0 Comments